સોમવાર, 21 માર્ચ, 2016

રવિશંકર વ્યાસ_રવિશંકર મહારાજ

બૃહદમુંબઈથી મહાગુજરાત અને મહાગુજરાતથી સ્વર્ણિમ ગુજરાત બનવા ભણીની પાંચ દાયકાની સફર ગુજરાતો પૂર્ણ કરી છે, ત્યારે ગુજરાત રાજ્યની સ્થાપના જેમના હસ્તે થઇ હતી તેવા પૂજ્ય રવિશંકર મહારાજ અંગેની કેટલીક માહિતી.


નામ- રવિશંકર વ્યાસ

ઉપનામ- મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી

જન્મ- 25મી ફેબ્રુઆરી, 1884 ( મહા શિવરાત્રિ ); રઢુ ગામ ( જિ. ખેડા)

અવસાન- 1લી જુલાઇ, 1984 , વડોદરા

કુટુંબ- પત્ની, સૂરજબા

અભ્યાસ- પ્રાથમિક - છ ધોરણ

વ્યવસાય- આજીવન સમાજ સેવા

જીવન ઝરમર
   - નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
   - 1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
   - 1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત
   - 1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
   - 1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
   - 1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
   - 1942 - ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ
   - જેલમાં ગામઠી ગીતા સમજાવતા
   - આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત
   - બહારવટિયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
   - 1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
   - 1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !
   - આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર ખીચડી !
   - પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
   - 1960 1 લી મે – ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
   - 1984 સુધી જે કોઇ ગુજરાતના મુખ્યમંત્રી બને તે સોગંદવિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી હતી
   - 1975 – કટોકટીનો વિરોધ                                     

રચનાઓ- મહારાજની વાતો
- વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
- માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )


સન્માન- ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.